The post ‘હનુમાન અંશ’ની રૂ. 200 કરોડ ક્લબમાં એન્ટ્રી appeared first on chitralekha.
]]>
આ સ્પિરિચ્યુઅલ ડ્રામા ફિલ્મે શુક્રવાર, 11 સપ્ટેમ્બરે 10.50 કરોડ રૂપિયાની કમાણી કરી, જે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ‘મિર્ઝાપુર’ની શુક્રવારની કમાણી કરતાં પણ વધુ છે. વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે તેના 36મા દિવસે 5743 શોમાંથી 10.50 કરોડ રૂપિયાની કમાણી કરી અને 38 ટકા ઓક્યુપન્સી નોંધાવી.
36મા દિવસે ‘હનુમાન અંશ’એ 5743 શોમાંથી 10.50 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન 205.15 કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે ભારતમાં અત્યાર સુધીનું કુલ નેટ કલેક્શન 173.63 કરોડ રૂપિયા છે. બીજી તરફ, તાજેતરમાં રિલીઝ થયેલી ‘હૈવાન’ને દર્શકો તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો છે અને તેણે 7224 શોમાંથી માત્ર ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર માત્ર 11 ટકા ઓક્યુપન્સી નોંધાવી હતી. બીજી તરફ, ફિલ્મ ‘લાસ્ટ મેન ઇન ટાવર’ને સારા રિવ્યુ મળ્યા હોવા છતાં તેની શરૂઆત ખૂબ જ ધીમી રહી અને તેણે શુક્રવારે માત્ર 3 લાખ રૂપિયાની કમાણી કરી. ‘હનુમાન અંશ’એ નોર્થ અમેરિકામાં પ્રી-સેલ્સથી આશરે 95 લાખ રૂપિયાની કમાણી કરી છે. વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે વિદેશમાં રિલીઝ થઈ હતી.

રિલીઝના 16મા દિવસે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’ માટે ત્રીજું, ચોથું અને પાંચમું અઠવાડિયું રેકોર્ડ તોડનારું રહ્યું. ફિલ્મે ચોથા અઠવાડિયામાં 61 કરોડ રૂપિયા અને પાંચમા અઠવાડિયામાં 90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
The post ‘હનુમાન અંશ’ની રૂ. 200 કરોડ ક્લબમાં એન્ટ્રી appeared first on chitralekha.
]]>The post નિવૃત્ત આર્મી ઓફિસરે કેમ કરી AK-203 રાઇફલો અને પિસ્તોલોની ચોરી? appeared first on chitralekha.
]]>#WATCH | Hyderabad, Telangana: Police arrested Upputholla Mallesh (37), a retired Havildar of the 20 Battalion, Madras Regiment, for stealing firearms and ammunition from the unit’s Kote and Magazine rooms.
Mallesh, who joined the Army in 2010 and retired on June 30, 2026,… pic.twitter.com/P2epJkeFPW
— ANI (@ANI) September 11, 2026
તેલંગાણાના ડીજીપી સી.વી. આનંદે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી અનુસાર, આરોપી મલ્લેશ જૂન ૨૦૨૬માં આર્મીમાંથી નિવૃત્ત થયો હતો. વહેલી નિવૃત્તિ મળવાના કારણે તે નારાજ હતો. આ નારાજગીના કારણે જ તેણે ૩૦ અને ૩૧ ઓગસ્ટની રાત્રે યુનિટની કોટ અને મેગેઝિન રૂમમાંથી ૪ AK-203 એસોલ્ટ રાઇફલ, ૧ ઇન્સાસ (INSAS) રાઇફલ, ૭ પિસ્તોલ, મેગેઝિન્સ, નાઇટ-વિઝન બાઇનોક્યુલર અને અંદાજે ૧,૯૦૦ રાઉન્ડ દારૂગોળો ચોરી કરી લીધો હતો.
તપાસ અધિકારીઓએ સીસીટીવી ફુટેજ અને સેલફોન ડેટાના વિશ્લેષણના આધારે મલ્લેશની હિલચાલ ટ્રેક કરી હતી. ચોરી કર્યા બાદ તે કારમાં શસ્ત્રો છુપાવીને પોતાના વતન નાગરકુરનૂલ જિલ્લાના અમરાબાદ ખાતે લઈ ગયો હતો. જ્યાં તેણે ઘાસના ઢગલામાં અને જમીનમાં ખાડો ખોદીને હથિયારો છુપાવ્યા હતા. પોલીસે સઘન પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરી તમામ જપ્ત કરેલા શસ્ત્રો રિકવર કર્યા છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.
The post નિવૃત્ત આર્મી ઓફિસરે કેમ કરી AK-203 રાઇફલો અને પિસ્તોલોની ચોરી? appeared first on chitralekha.
]]>The post કેલિફોર્નિયામાં ભારતીય મૂળની મહિલાની સ્ટૉકિંગ બાદ ગોળી મારીને હત્યા appeared first on chitralekha.
]]>
ઘટનાની વિગતો
ગોળીબારની ઘટના: મંગળવારે બપોરે અંદાજે ૩ વાગ્યે સેક્રામેન્ટોના આર્ડેન આર્કેડ વિસ્તારમાં હાઉ એવેન્યુ નજીકના શોપિંગ પ્લાઝા બહાર શાલિની ઠાકુર પહોંચ્યા ત્યારે આરોપી રોહિતે તેનો સામનો કર્યો હતો. શાલિનીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ રોહિતે તેનો પીછો કરીને અનેક ગોળીઓ મારી હતી અને જમીન પર પાડી દીધા બાદ નજીકથી માથામાં ગોળી મારી હતી.
પોલીસ કાર્યવાહી અને આરોપીનો અંત: ઘટનાસ્થળેથી મળેલી કારની વિગતોના આધારે પોલીસે લાયસન્સ પ્લેટ રીડર સિસ્ટમથી કાર ટ્રેક કરી હતી. હાઇવે-૫૦ પર પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ કાર ઊભી રાખી દીધી હતી. જ્યારે પોલીસે વાહનની તપાસ કરી ત્યારે રોહિત કારની અંદર ડ્રાઇવર સીટ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે પોતાની જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
મહિનાઓથી કરતો હતો હેરાનગતિ
તપાસ અધિકારીઓ અને કોર્ટના દસ્તાવેજો અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૫થી આ હેરાનગતિ શરૂ થઈ હતી. આરોપી DoorDash પિકઅપ દરમિયાન શાલિનીના સંપર્કમાં આવ્યો હતો.
આરોપી શાલિનીના ઘર બહાર કલાકો સુધી બેસી રહેતો, તેના વાહનના ટાયરોની હવા કાઢી નાખતો અને તેની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ગાડી નીચે Apple AirTag પણ લગાવી દીધું હતું.
તેણે શાલિનીના ઘરની ચાવીની ડુપ્લિકેટ બનાવીને તે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસી જવાનો પણ પ્રયાસ કર્યો હતો.
શાલિનીએ તેની સામે રેસ્ટ્રેનિંગ ઓર્ડર (મનાઈ હુકમ) પણ મેળવ્યો હતો, પરંતુ આરોપીએ તેનો ભંગ કરીને હેરાનગતિ ચાલુ રાખી હતી.
અધિકારીઓ હાલમાં આ કેસ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
The post કેલિફોર્નિયામાં ભારતીય મૂળની મહિલાની સ્ટૉકિંગ બાદ ગોળી મારીને હત્યા appeared first on chitralekha.
]]>The post બ્રિક્સ શિખર સંમેલનમાં UNSCમાં સુધારાની PM મોદીની માગ appeared first on chitralekha.
]]>
વાસ્તવમાં, ભારત મંડપમમાં બ્રિક્સના સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યા બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની મોટી માગ ઉઠાવી હતી. પ્રતિનિધિત્વની વાત કરતાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુએન સુરક્ષા પરિષદમાં સુધારા હવે વધુ ટાળી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે નિશ્ચિત સમયમર્યાદામાં નવા દેશોને જોડવા પડશે. એ સાથે જ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં પ્રમાણસર ભાગીદારી વધારવી પડશે, મતાધિકારની શક્તિ વધારવી પડશે અને વૈશ્વિક શાસનમાં પણ સુધારા કરવા પડશે.
18મા બ્રિક્સ શિખર સંમેલન 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ગ્લોબલ સાઉથ વૈશ્વિક સંગઠનોમાં તો આગળની હરોળમાં છે, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં હજુ પણ પાછળની હરોળમાં જ રહે છે. આપણે ‘વિશેષાધિકારના પિરામિડ’ને ‘ભાગીદારીના મંચ’માં બદલવો પડશે. જ્યાં દરેક દેશનો અવાજ સાંભળવામાં આવે, દરેક સભ્યની ભાગીદારી હોય અને દરેક પ્રયાસના કેન્દ્રમાં માનવતાની પ્રગતિ હોય. આ માટે મારો પ્રસ્તાવ છે કે આપણે સાથે મળીને વૈશ્વિક શાસનમાં સુધારા માટે 10 પ્રસ્તાવ તૈયાર કરીએ, જેને આગામી શિખર સંમેલન સુધી ‘બ્રિક્સ સુધારા રોડમેપ’નું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી શકીએ.” પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે આ રોડમેપ તૈયાર કરતી વખતે આપણે ત્રણ મુખ્ય સ્તંભો પર ધ્યાન આપવું પડશે: પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમોનું નિર્માણ.
𝐏𝐌 𝐌𝐨𝐝𝐢 𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬𝐞𝐬 𝐁𝐑𝐈𝐂𝐒 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬 𝐚𝐭 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐌𝐚𝐧𝐝𝐚𝐩𝐚𝐦
” Reforms in the UN Security Council can no longer be delayed.
On this matter, text-based negotiations must be linked to a definitive timeline and clear, tangible outcomes.… pic.twitter.com/YGObccDc0N
— All India Radio News (@airnewsalerts) September 12, 2026
પ્રતિનિધિત્વ અંગે તેમણે કહ્યું હતું કે સૌથી પહેલા, હું કહેવા માગું છું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારામાં હવે વધુ વિલંબ કરી શકાય નહીં. આ મામલે લેખિત વાટાઘાટોને નિશ્ચિત સમયમર્યાદા અને સ્પષ્ટ તથા નક્કર પરિણામો સાથે જોડવી જોઈએ. તેવી જ રીતે, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં મતાધિકાર, નેતૃત્વના હોદ્દા અને નીતિગત પ્રાથમિકતાઓ આજની આર્થિક વાસ્તવિકતા અનુસાર હોવી જોઈએ.
પીએમ મોદીએ BRICS નેતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે વૈશ્વિક મંચ પર આપણા કામને નક્કર પરિણામોમાં બદલવું પડશે. આગામી 20 વર્ષ માટે આપણે નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવું પડશે. તેની શરૂઆત આપણે આપણી કામ કરવાની રીતથી કરવી પડશે. BRICSની અધ્યક્ષતા દર વર્ષે બદલાય છે, પરંતુ તેને કારણે સંસ્થાગત ગતિ અટકવી જોઈએ નહીં. BRICS સમિટમાં આજે પીએમ મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન એકસાથે જોવા મળશે. ખાસ વાત એ છે કે BRICS સમિટ અંગે સંયુક્ત નિવેદન પણ જાહેર કરવામાં આવશે.
The post બ્રિક્સ શિખર સંમેલનમાં UNSCમાં સુધારાની PM મોદીની માગ appeared first on chitralekha.
]]>The post શું ગુજરાત બાંગલાદેશ કે પાકિસ્તાનમાં છે? શું છે આખો વિવાદ? appeared first on chitralekha.
]]>
સરકારે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતના કેવડિયામાં યોજવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ફિલ્મ ઉદ્યોગ અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા કલાકારો અને રાજકારણીઓએ આ નિર્ણયની ટીકા કરી હતી. સરકારના નિર્ણયને ટેકો આપતા પરેશ રાવલે પ્રશ્ન કર્યો કે શું ગુજરાત બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં છે?
રાજ ઠાકરેએ સમારોહ માટે ગુજરાત પસંદ કરવાનું કારણ પૂછ્યું તો ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર ગુજરાત અને દેશના બાકીના ભાગ વચ્ચે દિવાલ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.એવામાં સંજય રાઉતે કલાકારોને સમારોહનો બહિષ્કાર કરવાની અપીલ કરી.
પરેશ રાવલે ગુજરાતમાં સમારોહ યોજવાના નિર્ણયનો બચાવ કર્યો
ANI સાથે વાત કરતા પરેશ રાવલે કહ્યું કે ગુજરાત ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને રાષ્ટ્રીય કાર્યક્રમો ફક્ત દિલ્હી સુધી મર્યાદિત ન હોવા જોઈએ. તેમણે કહ્યું કે મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમો વિવિધ રાજ્યોમાં પણ યોજવા જોઈએ. રાજધાનીની બહાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો યોજવામાં તેમને કંઈ અસામાન્ય દેખાતું નથી. ગુજરાતમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો યોજવા અંગેના પ્રશ્નો વચ્ચે પરેશ રાવલે કહ્યું,” શું ગુજરાત બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં છે? તે આપણા દેશનો પણ એક ભાગ છે. આ કાર્યક્રમ ગુજરાતમાં કેમ ન યોજાઈ શકે? કાર્યક્રમો ગુજરાતમાં પણ યોજવા જોઈએ. હું કહું છું કે આવા કાર્યક્રમો દરેક રાજ્યમાં યોજવા જોઈએ. તેમાં કંઈ ખોટું નથી.”
સરકારે વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય કાર્યક્રમો યોજવાનું આહ્વાન કર્યું
પરેશ રાવલની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ફિલ્મ અને ટેલિવિઝન મંત્રાલયે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દેશના વિવિધ ભાગોમાં યોજાશે. આનો ઉદ્દેશ્ય રાજધાની દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનો વિસ્તાર કરવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે એકતા નગરમાં યોજાનાર સમારોહનો હેતુ ભારતભરની ફિલ્મ પ્રતિભાઓને એકત્ર કરવાનો અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ની ભાવના દર્શાવવાનો છે.
રાજ ઠાકરે ગુજરાતની પસંદગી પર સવાલ ઉઠાવ્યો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીથી ગુજરાતના કેવડિયા ખસેડવાના નિર્ણયની ટીકા કરી છે. X પર એક પોસ્ટમાં તેમણે પ્રશ્ન કર્યો હતો કે જો સમારોહ રાજધાનીની બહાર યોજવો હતો તો તે મુંબઈ અથવા અન્ય રાજ્યમાં કેમ ન યોજાયો જ્યાં મોટા પાયે ફિલ્મોનું નિર્માણ થાય છે. જો સ્થળ બદલવાનું હતું, તો તેને મુંબઈ કેમ ન ખસેડવામાં આવ્યું? રાજ ઠાકરેએ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો હતો, જે ફિલ્મ નિર્માણના મુખ્ય સ્થળો પણ છે. તેમણે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે સમારોહ માટે ગુજરાતને કેમ પસંદ કરવામાં આવ્યું?
For the first time in the 72-year history of the National Film Awards, the ceremony is being shifted from the national capital, Delhi, to Kevadia in Gujarat. While there is an ongoing concerted effort to diminish the importance of Mumbai, the country’s financial capital, a… pic.twitter.com/autVMvePN4
— Raj Thackeray (@RajThackeray) September 10, 2026
રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે સમારોહને ગુજરાતમાં ખસેડવાનો નિર્ણય મુંબઈ અને રાષ્ટ્રીય રાજધાનીનું મહત્વ ઓછું કરવા અને ગુજરાતને પ્રોત્સાહન આપવાના પ્રયાસનો એક ભાગ હતો. તેમણે ગુજરાતમાં થઈ રહેલી અન્ય ઘણી મોટી ઘટનાઓ અને પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા. ઠાકરેએ કહ્યું,આજે જે દેશ ઉભો છે તે અસંખ્ય પેઢીઓના બલિદાન અને દેશના દરેક ક્ષેત્રના યોગદાનનું પરિણામ છે.તેમણે દેશભરના કલાકારોને આ નિર્ણય પર સવાલ ઉઠાવવાની અપીલ કરી. તેમણે દલીલ કરી કે વિવાદ ફક્ત સ્થાનનો નથી, પરંતુ રાષ્ટ્રીય રાજધાનીમાં એવોર્ડ સમારોહ યોજવાની વર્ષો જૂની પરંપરાને બદલવાનો છે.
ઉદ્ધવ ઠાકરે પણ ઉઠાવ્યો વાંધો
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર દિવાલ બનાવવાનો આરોપ લગાવ્યો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આ નિર્ણય અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ગુજરાત અને દેશના બાકીના ભાગ વચ્ચે દિવાલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
સંજય રાઉત પણ બાકી ન રહ્યા
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ આ કાર્યક્રમને ગુજરાતમાં ખસેડવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું,”શું નરેન્દ્ર મોદી ફક્ત ગુજરાતના વડા પ્રધાન છે?” સંજય રાઉતે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યક્રમો સામાન્ય રીતે દેશની રાજધાનીમાં યોજાય છે અને તેથી, આ કાર્યક્રમ માટે ગુજરાતની પસંદગી પર સવાલ ઉઠાવવા સ્વાભાવિક છે. સંજય રાઉતે પૂછ્યું, “શું આ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ છે?” તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતની ચૂંટણી પહેલા આ કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવી રહ્યું છે. સંજય રાઉતે દેશભરના કલાકારોને ગુજરાતમાં યોજાનારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કરવાની અપીલ કરી. તેમણે કહ્યું,”કલાકારોએ ગુજરાત ન જવું જોઈએ. કોઈપણ કલાકાર જેને પોતાના દેશ પર ગર્વ છે તે આ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરશે.”
The post શું ગુજરાત બાંગલાદેશ કે પાકિસ્તાનમાં છે? શું છે આખો વિવાદ? appeared first on chitralekha.
]]>The post મુખ્યમંત્રી પાટનગરને આપી ૧,૮૪૮ કરોડના કામોની ભેટ; ૪૮.૨૬ કરોડના નવા કામોની જાહેરાત appeared first on chitralekha.
]]>
આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ. ૭૯૮ કરોડ તેમજ માર્ગ અને મકાન વિભાગના રૂ. ૧,૦૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ સિવાય જાહેર પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવા ૩૦ નવીન ઈ-બસોને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘નાગરિક દેવો ભવ’ના મંત્ર સાથે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારની યોજનાઓનો ૧૦૦ ટકા લાભ પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે સેચ્યુરેશનના અભિગમથી કામ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતની સુદૃઢ નાણાકીય વ્યવસ્થાના કારણે ગાંધીનગર કે રાજ્યના કોઈપણ વિકાસકાર્ય માટે નાણાંની અછત નહીં રહેવા દેવાય.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર સામેના કડક વલણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર એક સમયે માત્ર સચિવાલય પૂરતું મર્યાદિત હતું. જ્યારે આજે શિક્ષણ, ઉદ્યોગ, GIFT City અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું મોડર્ન શહેર બન્યું છે.
ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને ધારાસભ્ય રીટાબેન પટેલે પાટનગરના વિકાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન તથા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
The post મુખ્યમંત્રી પાટનગરને આપી ૧,૮૪૮ કરોડના કામોની ભેટ; ૪૮.૨૬ કરોડના નવા કામોની જાહેરાત appeared first on chitralekha.
]]>The post મુખ્યમંત્રી સાથે પ્રિન્સ રહીમ આગા ખાન Vની મુલાકાત, વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા appeared first on chitralekha.
]]>
મહામહિમ પ્રિન્સ રહીમ આગા ખાન V શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ તથા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને સંવેદનશીલ સમુદાયોના જીવનધોરણમાં સુધારણા ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
મુખ્યમંત્રીએ પ્રિન્સ રહીમ આગા ખાન Vનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, “AKDNની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત છે.”
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં જળ સંરક્ષણ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડવોટર રિચાર્જ, મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતી, સોલાર એનર્જી, સહકાર ક્ષેત્ર તેમજ મહિલા સશક્તિકરણની સફળતા અને યોજનાઓ અંગે વિગતો પૂરી પાડી હતી. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની સોલાર ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ૩૪,૮૮૦ મેગાવોટ સુધી પહોંચી છે. ‘પી.એમ. સૂર્ય ઘરઃ મુફ્ત બીજલી યોજના’ હેઠળ લાખો ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
પ્રિન્સ રહીમ આગા ખાન Vએ જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, સોલાર એગ્રીકલ્ચર અને મહિલા સ્વસહાય જૂથોના વિકાસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સરકાર સાથે મજબૂત ભાગીદારી દર્શાવી હતી. બંને પક્ષોએ માનવકેન્દ્રી અને ટકાઉ વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવા તરફ સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
The post મુખ્યમંત્રી સાથે પ્રિન્સ રહીમ આગા ખાન Vની મુલાકાત, વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા appeared first on chitralekha.
]]>The post PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું appeared first on chitralekha.
]]>
હરીશ રાવતે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી
X પર એક લાંબી પોસ્ટમાં રાવતે કહ્યું હતું કે તેઓ નથી ઈચ્છતા કે તેમના કોઈ પણ પગલા કે વ્યવહારને કારણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસની ચાલી રહેલી લડાઈ નબળી પડે. તેમણે કહ્યું હતું કે પોતાના ‘ઇષ્ટ દેવતા’ને યાદ કર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ચંદન સિંહ જીનાએ 2014થી 2017 દરમિયાન તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમના ‘ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યુટી’ (OSD) તરીકે કામ કર્યું હતું અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.
PAના ઘરેથી રોકડ, સોનું અને મોંઘી ઘડિયાળો મળી
EDએ શુક્રવારે જણાવ્યું કે તેણે ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન (UKSSSC)ની ગ્રામ પંચાયત વિકાસ અધિકારી (VPDO) પરીક્ષા, 2016માં કથિત મોટા પાયે થયેલી ગેરરીતિઓના સંબંધમાં દેહરાદૂનમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ચંદન સિંહ જીનાના ઘરેથી 32 લાખ રૂપિયા રોકડા (જેનો કોઈ હિસાબ નહોતો), સોનું અને મોંઘી ઘડિયાળો મળી આવી હતી. EDએ શુક્રવારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 10 સપ્ટેમ્બરે ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
सामने टीवी पर खबर आ रही है कि देहरादून में हरीश रावत के पीए के पास भारी मात्रा में कैश और ज्वैलरी आदि पकड़ी गई या पकड़ाई गई, इस तथ्य का खुलासा तो आने वाले समय में होगा और यह सत्य है कि श्री जीना मेरे ओएसडी रहे हैं और मैं जितने भी पदों पर रहा, चाहे पार्टी में रहा या सरकार में रहा,… pic.twitter.com/Z6rZYcVev0
— Harish Rawat (@harishrawatcmuk) September 11, 2026
EDએ આપી માહિતી
એજન્સીના જણાવ્યા અનુસાર, UKSSSCના તત્કાલીન ચેરમેન અને સેક્રેટરી, તત્કાલીન પરીક્ષા નિયંત્રક, OMR પ્રોસેસિંગ માટે રાખવામાં આવેલી ખાનગી કમ્પ્યુટર એજન્સીના માલિક અને આ કાવતરાથી જોડાયેલા કથિત વચેટિયાઓના ઘરો પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. એજન્સીનો આરોપ છે કે આ તમામ લોકો આ મામલા સાથે જોડાયેલા હતા. EDએ જણાવ્યું કે ચંદન સિંહ જીનાના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, જીના 2014થી 2017 દરમિયાન હરીશ રાવત મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે કામ કરી ચૂક્યા છે.
The post PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું appeared first on chitralekha.
]]>The post AMA દ્વારા ૭૦ વર્ષની ઉજવણી, રમેશભાઈ ઓઝાના ‘કર્મયોગ’ પર વ્યાખ્યાનનું આયોજન appeared first on chitralekha.
]]>શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોમાંથી પ્રેરણા આપતા રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે સાચી પૂજા એ નિઃસ્વાર્થ કર્મ (કર્મ હી પૂજા) છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કર્મ એ જીવનનો અનિવાર્ય નિયમ છે. પરંતુ જ્યારે વ્યક્તિ પરિણામ કે ફળની આસક્તિ રાખ્યા વિના પોતાની ફરજ બજાવે છે, ત્યારે સામાન્ય કાર્ય પણ આધ્યાત્મિક સમર્પણમાં ફેરવાઈ જાય છે.
પોતાની દૈનિક જવાબદારીઓને ધર્મ, હેતુની પવિત્રતા અને માનવસેવા સાથે જોડવાથી માનસિક તણાવ અને અહંકારથી મુક્તિ મેળવી શકાય છે. રમેશભાઈએ ઉપસ્થિત લોકોને પોતાના કાર્યને બોજ ગણવાને બદલે તેને આંતરિક શાંતિ, ઉત્તમ ચરિત્ર નિર્માણ અને મુક્તિના માર્ગ તરીકે અપનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે મેઘમણી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા GCCIના ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.
The post AMA દ્વારા ૭૦ વર્ષની ઉજવણી, રમેશભાઈ ઓઝાના ‘કર્મયોગ’ પર વ્યાખ્યાનનું આયોજન appeared first on chitralekha.
]]>The post બ્રિક્સમાં ભાગ લેવા ભારત પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ appeared first on chitralekha.
]]>
સાત વર્ષ બાદ ભારત આવ્યા શી જિનપિંગ
ઉલ્લેખનીય છે કે સાત વર્ષ બાદ શી જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત છે. ભારત મંડપમ ખાતે વડા પ્રધાન મોદી તેમનું સ્વાગત કરશે. ગલવાન અથડામણ બાદ આ પ્રથમ વખત છે જ્યારે શી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા છે. આજે સાંજે તેમની વડા પ્રધાન મોદી સાથે દ્વિપક્ષી બેઠક પણ યોજાવાની છે.
નોંધનીય છે કે શી જિનપિંગ સાથે વડા પ્રધાન મોદીની આ મુલાકાત પર સૌની નજર ટકેલી છે. ગલવાન અથડામણ બાદ જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત છે. જોકે વિદેશમાં બંને નેતાઓ ત્રણ વખત મુલાકાત કરી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે જિનપિંગ હવે દિલ્હી આવ્યા છે. આ પહેલાં જિનપિંગ ઓક્ટોબર 2019માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના ચીનના સંકલ્પ પર ભાર મૂકતાં ચીનના રાજદૂત ઝૂ ફેઇહોંગે કહ્યું હતું કે ચીન બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દ્વારા નક્કી કરવામાં આવેલા માળખાનું પાલન કરવા માગે છે.
New Delhi: Chinese President Xi Jinping arrives in New Delhi to participate in the 18th BRICS Summit 2026 pic.twitter.com/jYAlZWCmq7
— IANS (@ians_india) September 12, 2026
BRICS ઝડપથી ઊભરી રહેલાં મુખ્ય અર્થતંત્રો વચ્ચે આર્થિક નીતિઓમાં સમન્વય સ્થાપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઊભરી આવ્યું છે. આ એક એવું મુખ્ય મંચ છે જ્યાં આ દેશો વૈશ્વિક શાસન અંગે પોતાનું સંયુક્ત વલણ નક્કી કરે છે. સતત સંવાદ દ્વારા તે બહુપક્ષી સંસ્થાઓમાં ‘ગ્લોબલ સાઉથ’ના હિતોને આગળ વધારવાનું એક માધ્યમ બની ગયું છે. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે અલગ-અલગ દ્વિપક્ષી બેઠકો યોજી હતી.
The post બ્રિક્સમાં ભાગ લેવા ભારત પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ appeared first on chitralekha.
]]>