The post વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા ઉદ્યોગકારોને CMનું આમંત્રણ appeared first on chitralekha.
]]>
તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે દેશના ઇન્ડસ્ટ્રિયલ પાવર હાઉસ સાથે ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બની ગયું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ હતું કે ગુજરાત ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથથી અનેક ગણું આગળ વધીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકન્ડક્ટર, ગ્રીન મેન્યુફેક્ચરિંગ જેવાં ઊભરતાં સેક્ટર્સમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી લીડ લેવા સજ્જ છે. તેમણે કોન્સ્યુલ જનરલ્સ અને ફોરેન મિશનના રિપ્રેઝન્ટેટિવ્સ અને દેશના અગ્રણી બિઝનેસ લીડર્સને ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીના પાર્ટનર બનવા આમંત્રણ આપતાં કહ્યું હતું કે ગુજરાતને માત્ર એક પ્રોજેક્ટ કે ઈન્ડસ્ટ્રિયલ યુનિટના સ્થાન તરીકે ન જોતાં તેમના ભવિષ્યના વિકાસનો ટ્રસ્ટેડ પાર્ટનર બનાવે. તમારા નવા આઈડિયાઝ અને નવા ઈન્વેસ્ટમેન્ટ સાથે આવો, ગુજરાત સરકાર હર કદમ પર તમારી મદદ માટે તૈયાર છે..
તેમણે કહ્યું હતું કે દેશની કુલ GDPમાં 8.2 ટકા, મેન્યુફેક્ચરિંગમાં 17 ટકા અને મર્ચન્ડાઈઝ એક્સપોર્ટમાં 25 ટકાનું યોગદાન આપતું ગુજરાત લેબર પીસ, ઝિરો મેન ડેઈઝ લોસ અને સંગીન લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને કારણે વિશ્વભરના રોકાણકારોનું ફર્સ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
Come to Gujarat, Grow in Gujarat, Grow with Gujarat!
Guided by PM @narendramodi Ji’s vision, Gujarat is accelerating towards becoming a $3.5 Trillion economy.
Through targeted regional master plans and an enabling ecosystem, Gujarat continues to turn policies into ground… pic.twitter.com/Gi00jOM2BX
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 3, 2026
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશનના તાજેતરના રિપોર્ટ્સમાં જણાવ્યાં અનુસાર ગુજરાતના રાજકોટ, સુરત અને અમદાવાદ શહેરોમાં સૌથી વધુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્ટેટ છે તેનું ગૌરવ કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાત હવે જેટ સ્પીડથી વિકાસ માટે સંપુર્ણ રીતે તૈયાર છે અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પ સાથે રાજ્યને 3.5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું અમારું લક્ષ્ય છે. યહી સમય હૈ સહી સમય હૈના વડા પ્રધાને આપેલા વિચારને વાસ્તવિક રૂપ આપવા તેમણે આગામી 10, 11, 12 જાન્યુઆરી, 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાનું દેશ-વિદેશના ઈન્ડસ્ટ્રીઝ લીડર્સને ભાવભર્યુ આમંત્રણ આપ્યું હતું.
મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું કે, ગુજરાત નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે દેશનું સૌથી સુરક્ષિત અને અનુકૂળ રાજ્ય છે. મુખ્ય સચિવે રાજ્યના સુદ્રઢ ઔદ્યોગિક માળખાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઈકોનોમિક માસ્ટર પ્લાન, બહેતર રોડ કનેક્ટિવિટી, એરપોર્ટ અને પોર્ટ્સનો વ્યાપક વિકાસ થયો છે તેના પરિણામે આજે સમગ્ર દેશના કુલ કાર્ગો હેન્ડલિંગના ૪૦ ટકા જેટલું કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. આ ઈન્ટરેક્શન સેશનમાં મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા મુંબઈના અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને વિવિધ ઈન્ડસ્ટ્રી એસોસિયેશનના પદાધિકારીઓ જોડાયા હતા.
The post વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા ઉદ્યોગકારોને CMનું આમંત્રણ appeared first on chitralekha.
]]>The post ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મુંબઈમાં ‘સાહિત્યગોષ્ઠિ’ નું આયોજન appeared first on chitralekha.
]]>
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈમાં પણ સમયાંતરે સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના સર્જકો, કવિઓ તથા સાહિત્યરસિકોને એક મંચ પર લાવી વિચારવિમર્શ અને સંવાદ માટેનું વાતાવરણ ઊભું કરવાના હેતુથી અકાદમી દ્વારા વિવિધ સાહિત્યિક ઉપક્રમો હાથ ધરવામાં આવે છે. ‘મુંબઈ સાહિત્યોત્સવ’ જેવા બે-ત્રણ દિવસીય ભવ્ય સાહિત્યિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યકારો વચ્ચે સીધો સંવાદ અને વિચારવિમર્શ થાય તેવી નાની પરંતુ અર્થસભર બેઠકોનું પણ આયોજન કરવામાં આવે છે.
આ જ ઉપક્રમના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી અને કલાગુર્જરીના સંયુક્ત ઉપક્રમે 1 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે મુંબઈમાં ‘સાહિત્યગોષ્ઠિ’નું આયોજન કરવામાં આવ્યું છે. વિલે પાર્લે વેસ્ટ સ્થિત કલાગુર્જરી ખાતે યોજાનારી આ ગોષ્ઠિમાં ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય સર્જકો અને સાહિત્યકારો એકત્રિત થશે.

કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા તથા સ્નેહલ મુઝુમદાર વિશેષ ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિ ઉપરાંત કવિઓ અને સાહિત્યકારો વચ્ચે થનારો સંવાદ આ ગોષ્ઠિનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ સાહિત્યગોષ્ઠિમાં કવિ સંજય પંડ્યા, હિમાંશુ જોશી, હિતેન આનંદપરા, જતીન બારોટ, ચેતન ફ્રેમવાલા, ડૉ. ભૂમા વશી, રક્ષા શાહ અને અંકિતા મારુ ભાગ લેશે. વિવિધ સાહિત્યિક અનુભવો અને સર્જનાત્મક દૃષ્ટિકોણ ધરાવતા આ સર્જકોની ઉપસ્થિતિથી ગોષ્ઠિમાં કવિતા, સાહિત્ય અને સર્જન અંગે વિચારવિમર્શનો અવકાશ ઊભો થશે.
મુંબઈમાં વસતા ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે પણ આ કાર્યક્રમ પોતાના સર્જકોને સાંભળવા અને સાહિત્યિક સંવાદનો હિસ્સો બનવાની તક પૂરી પાડશે. દરેક સાહિત્યપ્રેમી અને કલારસીકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.
The post ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મુંબઈમાં ‘સાહિત્યગોષ્ઠિ’ નું આયોજન appeared first on chitralekha.
]]>The post દૂધના ભાવમાં સીધો રૂ. 9નો વધારો appeared first on chitralekha.
]]>
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આગામી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) એ દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટરે રૂ. 9નો તોતિંગ વધારો ઝીંક્યો છે. ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી તાજા ભેંસના દૂધની જથ્થાબંધ કિંમત રૂ. 93 થી વધીને સીધી રૂ. 102 પ્રતિ લિટર થઈ જશે.
MMPA ના નિર્ણય અનુસાર, આ નવી કિંમતો ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી અમલમાં આવશે અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી લાગુ રહેશે. એટલે કે મુંબઈવાસીઓએ આગામી છ મહિના સુધી દૂધ ખરીદવા માટે વધુ નાણાં ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, એસોસિએશનના આશરે ૭૦ વર્ષના ઇતિહાસમાં એકસાથે કરવામાં આવેલો આ સૌથી મોટો ભાવવધારો માનવામાં આવી રહ્યો છે.
દૂધના ભાવમાં આટલા મોટા વધારા પાછળ પશુઆહાર અને ઘાસચારાની મોંઘવારી મુખ્ય કારણ છે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ, ખાણ, ચણા ચુની અને તુવેર ચુની જેવા પશુપાલન માટેના મુખ્ય આહારના ભાવમાં ૨૫ ટકા સુધીનો વધારો થયો છે. આ ઉપરાંત દૂધાળા પશુઓની કિંમતો વધતાં ઉત્પાદન ખર્ચમાં પણ મજબૂત ઉછાળો આવ્યો છે.
મુંબઈમાં ૩,૦૦૦થી વધુ છૂટક વેપારીઓ દ્વારા આ દૂધનું વેચાણ કરવામાં આવે છે. જથ્થાબંધ ભાવ રૂ. 102 થતાં રિટેલ માર્કેટમાં ગ્રાહકો સુધી પહોંચતા દૂધનો ભાવ તેનાથી પણ વધુ હોઈ શકે છે. ગણેશોત્સવ અને આગામી તહેવારો દરમિયાન દૂધ, મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે, ત્યારે આ ભાવવધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
The post દૂધના ભાવમાં સીધો રૂ. 9નો વધારો appeared first on chitralekha.
]]>The post મુંબઈમાં ગણેશ આગમન દરમિયાન મોટી દુર્ઘટના appeared first on chitralekha.
]]>
બે લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં સંકેત નેવશે (ઉંમર 33) અને બ્રિજેશ હેમંત જોશી (ઉંમર 30) નામના બે યુવાનોના મોત થયા છે. બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોમાં 5 વર્ષની લાવણ્યા ગનેર અને 7 વર્ષની દિવ્યા ગનેર નામની બે નાની બાળકીઓ પણ સામેલ છે. હાલમાં તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈમાં ગણેશોત્સવની ઉત્સાહપૂર્ણ તૈયારીઓ
આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે સમગ્ર મુંબઈ શહેરમાં ગણેશોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે સાર્વજનિક ગણેશ મંડળોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને પંડાલ લગાવવા માટે 3,767 અરજીઓ મળી હતી, જેમાંથી 2,729 મંડળોને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2022 માં 3,487 અરજીઓમાંથી 2,417 મંડળોને પરવાનગી મળી હતી. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 September ના રોજ ઉજવવામાં આવશે. ભુલેશ્વરની આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અને ગણેશ મંડળોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
The post મુંબઈમાં ગણેશ આગમન દરમિયાન મોટી દુર્ઘટના appeared first on chitralekha.
]]>The post મુંબઈમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીમાં ગુજરાતી પ્રતિભાઓનું સન્માન appeared first on chitralekha.
]]>
સમાજ પોતાના સાહિત્ય સર્જકો, અનુવાદકો, કલાકારો અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રતિભાઓને કેવી રીતે પોંખે છે તેના પરથી સમાજની સમજણ અને સંસ્કૃતિનો અંદાજ આવે છે. આ વિચાર સાથે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં ગુજરાતના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલાર, મુંબઈના મેયર રિતુ તાવડે તેમજ ધારાસભ્ય યોગેશ સાગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે વરિષ્ઠ સર્જક દિનકર જોશી, લોકસાહિત્ય ગાયક ચેતન ગઢવી, નાટ્ય તથા સિરિયલ લેખક મિહિર ભૂતા, કલાકારો મીનળ પટેલ, લીલી પટેલ, અભિજીત ચિત્રે, અભય હરપળે અને આશિષ જાની સહિત અનેક પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે.
સાહિત્ય ક્ષેત્રે સંજય પંડ્યા, અશ્વિની બાપટ, કલ્પના દવે, પ્રતિમા પંડ્યા, વૈશાલી ત્રિવેદી, વર્જેશ સોલંકી, નીલાબેન સોની અને ડૉ. ગિરીશ ડાબકેનું સન્માન થશે. જ્યારે ભાષાપ્રસાર માટે કાર્યરત અનંતરાય મહેતા અને મીનાબેન મહેતા તેમજ સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર ડૉ. દિલીપ રાયચુરા, વિરલ ચીતલીયા, હિરેન ભૂતા, પિયુષ સુરા અને જીતેન્દ્ર કડકીયાને પણ સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમનું સંચાલન જાણીતા વક્તા અશ્વિન મહેતા કરશે, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન નેહા કેશવાની કરશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગુજરાતી પરિવાર ફાઉન્ડેશનના ચેરમેન મુકેશ કડકીયા દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ઈચ્છુક દરેકને આ જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રણ છે.
The post મુંબઈમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીમાં ગુજરાતી પ્રતિભાઓનું સન્માન appeared first on chitralekha.
]]>The post મુંબઈ: પૃથ્વી થિયેટરમાં જામશે ગુજરાતી રંગમંચનો ત્રિવેણીસંગમ appeared first on chitralekha.
]]>
પૃથ્વી થિયેટરમાં આ બે દિવસ દરમિયાન ગુજરાતી રંગભૂમિ, ટીવી અને ફિલ્મ જગતના નામી કલાકારો પોતાના નાટકો દર્શકો સમક્ષ રજૂ કરશે. 11 ઓગસ્ટે ‘સ્ત્રી એટલે….’ નાટ્યપ્રયોગ રજૂ થશે. વિવિધ નારી સંવેદનાઓને કેન્દ્રમાં રાખતા આ પ્રયોગમાં ડિમ્પલ આનંદપરા, અર્ચના શાહ, રિંકુ પટેલ, કલ્પના શાહ અને વિધિ ચિતલિયા પંડ્યા અભિનય કરશે. આ પ્રસ્તુતિમાં ગુજરાતી સર્જકોની વાર્તાઓને નાટ્યાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે.રિંકુ પટેલ ભાગ્યેશ જહાં લિખિત ‘ગાંધારી’ની પણ પ્રસ્તુતિ કરશે.

જ્યારે 12 ઓગસ્ટે ‘દાસ્તાનગોઈ ગુજરાતી’નું મંચન થશે. ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુના સર્જન પર આધારિત આ પ્રયોગમાં ભામિની ઓઝા ગાંધી, ભક્તિ રાઠોડ, અલ્પના બુચ અને પ્રતાપ સચદેવ પોતાની આગવી રજૂઆતની શૈલીમાં વાર્તાઓને જીવંત કરશે. આ ઉપરાંત ગીતા માણેક, ભાગ્યેશ જહાં, જ્હોની શાહ અને સુષ્મા શેઠની વાર્તાઓ પણ વિવિધ કલાકારો રજૂ કરશે. આ જ દિવસે સાંજે રમેશ પારેખની કવિતાઓ પરથી પ્રેરિત મંથન જોશી લિખિત ‘કોશેટો’ ભજવાશે. નાટકમાં દર્શન જરીવાલા સાથે સેજલ પોન્દા, પૂજા ગામી, હેમાક્ષ વૈષ્ણવ અને દીપ પારેખ સહિતના કલાકારો છે.
‘યુટોપિયા’ના આ ત્રિવેણીસંગમ સાથે કલાકારો માટે પૃથ્વી થિયેટરનું મંચ પણ ખાસ છે. યુટોપિયાના આ બે દિવસમાં ગુજરાતી રંગમંચના સાહિત્ય, કવિતા અને નારી સંવેદનાના વિવિધ રંગો એક જ મંચ પર જોવા મળશે.
The post મુંબઈ: પૃથ્વી થિયેટરમાં જામશે ગુજરાતી રંગમંચનો ત્રિવેણીસંગમ appeared first on chitralekha.
]]>The post વિકસિત ભારત માટે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે રજૂ કર્યો ‘સ્વર્ણિમ ઉડાન 2047’ રિપોર્ટ appeared first on chitralekha.
]]>

રિપોર્ટ અનુસાર, વર્ષ 2047 સુધી ભારતની અર્થવ્યવસ્થા આશરે 30 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા છે. આ સંદર્ભમાં સોનાને માત્ર રોકાણ અથવા દાગીના પૂરતું સીમિત ન રાખીને તેને દેશની આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ, નિકાસ, રોજગાર અને ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ તરીકે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
મુંબઇ ખાતે હમણાં યોજાએલી એક ઇવેન્ટમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ ટેટે જણાવ્યું હતું કે, ભારત પહેલેથી જ વૈશ્વિક ગોલ્ડ ઇકોસિસ્ટમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભવિષ્યમાં નાણાકીય બજારોના વિકાસ, ઔદ્યોગિક નવીનતા અને આર્થિક સ્થિરતા માટે સોનાની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે. આ રિપોર્ટ ભારતને વધુ મજબૂત ગોલ્ડ માર્કેટ તરફ દોરી જતો સ્પષ્ટ રોડમેપ રજૂ કરે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતસ્થિત સીઇઓ સચિન જૈને જણાવ્યું કે, ભારતની સંસ્કૃતિ અને અર્થતંત્રમાં સોનાનું વિશેષ સ્થાન છે. હવે સમય આવી ગયો છે કે સોનાને માત્ર પરંપરાગત સંપત્તિ નહીં પરંતુ દેશના વિકાસ માટેની વ્યૂહાત્મક સંપત્તિ તરીકે જોવામાં આવે. યોગ્ય નીતિઓ, રિસાયક્લિંગ, નાણાકીયકરણ, નવીનતા અને નિકાસને પ્રોત્સાહન દ્વારા સોના ક્ષેત્ર ભારતના વિકાસમાં વધુ મોટું યોગદાન આપી શકે છે. મોનિટર ડેલોઇટના દક્ષિણ એશિયા પાર્ટનર હર્ષ કપૂરે જણાવ્યું હતું કે, આ રિપોર્ટ સોનાને માત્ર ‘સ્ટોર ઓફ વેલ્યુ’ તરીકે નહીં પરંતુ દેશની ભવિષ્યની અર્થવ્યવસ્થા માટેના વ્યૂહાત્મક રાષ્ટ્રીય એસેટ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે.

પાંચ મુખ્ય સ્તંભો પર ભાર
રિપોર્ટમાં ભારતના ગોલ્ડ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પાંચ મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં સ્થાનિક સોનાના ખનનમાં વધારો, ભારતને વિશ્વનું અગ્રણી ગોલ્ડ જ્વેલરી નિકાસ કેન્દ્ર બનાવવું, ઘરેલુ સોનાનું નાણાકીયકરણ વધારવું, નવી પેઢીને અનુકૂળ આધુનિક જ્વેલરી ઉદ્યોગ વિકસાવવો અને સોનાને વ્યૂહાત્મક રાષ્ટ્રીય સંપત્તિ તરીકે સ્થાપિત કરવું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

અમલીકરણ માટેના સૂચનો
આ લક્ષ્યોને સાકાર કરવા માટે રિપોર્ટમાં નેશનલ ગોલ્ડ બોર્ડ, ગોલ્ડ ઇનોવેશન સેન્ટર અને વિવિધ હિતધારકોની મલ્ટી-સ્ટેકહોલ્ડર ટાસ્ક ફોર્સની રચનાની ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટમાં આ વિઝનને અમલમાં મૂકવા માટે નેશનલ ગોલ્ડ બોર્ડની રચના, ગોલ્ડ ઇનોવેશન સેન્ટરની સ્થાપના અને વિવિધ હિતધારકોને સાથે લઈને એક મલ્ટી-સ્ટેકહોલ્ડર ટાસ્ક ફોર્સ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. આ સંસ્થાઓ નીતિગત સમન્વય, ટેક્નોલોજી અપનાવવી, સંશોધન, બજાર વિકાસ અને સમગ્ર ગોલ્ડ વેલ્યુ ચેઇનને વધુ મજબૂત બનાવવા માટે કામ કરશે. રિપોર્ટનું માનવું છે કે યોગ્ય નીતિઓ અને સંકલિત પ્રયાસો દ્વારા ભારત સોનાને માત્ર રોકાણના સાધન તરીકે નહીં, પરંતુ દેશની લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાના મજબૂત આધારસ્તંભ તરીકે સ્થાપિત કરી શકે છે.
The post વિકસિત ભારત માટે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે રજૂ કર્યો ‘સ્વર્ણિમ ઉડાન 2047’ રિપોર્ટ appeared first on chitralekha.
]]>The post મુંબઈમાં ‘શબ્દસાધક શ્રેણી’માં કવિ પ્રબોધ પરીખ સાથે ગોષ્ઠિનું આયોજન appeared first on chitralekha.
]]>
બોરીવલી ખાતે આગામી 8 ઓગસ્ટ, શનિવારના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘શબ્દસાધક શ્રેણી’ અંતર્ગત પ્રબોધ પરીખ સાથે વિશેષ ગોષ્ઠિ કાર્યક્રમ યોજાશે.
‘ઝરૂખો’ના સહયોગથી યોજાનારો આ કાર્યક્રમનું આયોજન સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ)ખાતે કરવામાં આવ્યું છે.
પ્રબોધ પરીખ ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં સ્થાન ધરાવે છે. તેમની રચનાઓમાં ‘કારણ વિનાના લોકો’ વાર્તાસંગ્રહ, ‘કૌંસમાં’ કાવ્યસંગ્રહ તેમજ ‘પ્રિય ભાયાણી સાહેબ’ નામનો પત્રસંચય વિશેષ નોંધપાત્ર છે. સાહિત્ય ઉપરાંત તત્ત્વચિંતન અને કલાના ક્ષેત્રે પણ તેમણે મહત્વનું પ્રદાન આપ્યું છે. દેશ-વિદેશના અનેક પ્રતિષ્ઠિત મંચો પર તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે અને વિદેશની યુનિવર્સિટીઓ તરફથી ફેલોશિપથી પણ સન્માનિત થયા છે.

અકાદમીની ‘શબ્દસાધક શ્રેણી’ અંતર્ગત ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો સાથે સંવાદ અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી સાહિત્યરસિકોને સર્જકના વ્યક્તિત્વ, સર્જનપ્રક્રિયા અને સાહિત્યિક દૃષ્ટિકોણને નજીકથી જાણવાની તક મળે.
આ ગોષ્ઠિમાં કવયિત્રી પ્રો. સેજલ શાહ કવિ પ્રબોધ પરીખ સાથે સંવાદ અને પ્રશ્નોત્તરી કરશે, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરશે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને ‘ઝરૂખો’એ તમામ સાહિત્યપ્રેમીઓ આ જાહેર કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.
The post મુંબઈમાં ‘શબ્દસાધક શ્રેણી’માં કવિ પ્રબોધ પરીખ સાથે ગોષ્ઠિનું આયોજન appeared first on chitralekha.
]]>The post મુંબઈમાં કેઈએસ દ્રારા સેન્ટર ફોર સ્વામી વિવેકાનંદ સ્ટડીઝનો આરંભ appeared first on chitralekha.
]]>
ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (આઈકેએસ)ના અંતર્ગત કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) કાંદિવલીએ એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ છે સેન્ટર ફોર સ્વામી વિવેકાનંદ સ્ટડીઝ.
મુંબઈમાં ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (આઈકેએસ)ના અંતર્ગત કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) દ્વારા સેન્ટર ફોર સ્વામી વિવેકાનંદ સ્ટડીઝ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્ર નિર્માણના યાદગાર પાઠ શીખવનાર સ્વામી વિેવેકાનંદના સિધ્ધાંતોને કેન્દ્રમાં રાખી આ આયોજન કરવામાં આવ્યું હતું.

રામ કૃષ્ણ મિશન (ખાર)વતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સ્વામી આત્મશ્રધ્ધાનંદજીએ પોતાના વકતવ્યમાં કેઇએસની આ પહેલ વિશે કહ્યું કે સ્વામીજીના વિચારો જનરેશન ટુ જનરેશન દરેકને ચરિત્ર અને રાષ્ટ્ર નિર્માણનો ઉત્તમ માર્ગ બતાવતા રહ્યા છે. નેતાજી સુભાષચંદ્ર, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર સહિતની અનેક હસ્તીઓ વિવેકાનંદજીના વિચારોથી પ્રભાવિત હતા અને તેને અનુસરનારા હતા. ટાગોરે તો ત્યાંસુધી કહ્યું હતું કે જો કોઈ વ્યકિત ભારતને સમજવા માગતું હોય તો તેણે સ્વામી વિવેકાનંદજીને વાંચવા જોઈએ. સ્વામીજીનું ટિચિંગ એ બહેતર માનવી બનવાનો પથ છે.
સ્વામી શ્રધ્ધાનંદજીએ વધુમાં કહ્યું હતું કે જીવનનો ઉદેશ સમજવો સૌ માટે જરૂરી છે. યુવાનોને રાષ્ટ્રના ભાવિ નિર્માતા ગણાવતા તેમણે ઉમેર્યુ હતું કે તમારે સમાજ પર બોજરૂપ બનવું છે કે સમાજના હિતચિંતક અને તેના વિકાસમાં ફાળો આપનાર બનવું છે? સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો અને વિચારો માર્ગ બતાવી શકે છે. તેમના મતે માણસ જે પણ કામ કરે તે ઉત્તમ રીતે કરવું જોઈએ, પછી તે બગીચાનો માળી હોય કે કારનો ડ્રાઈવર, મિકેનિક હોય કે એકાઉન્ટન્ટ હોય. આપણું ચરિત્ર આપણે બીજા સાથે શું અને કેવો વ્યવહાર કરીએ છીએ તેના આધારે નકકી થાય છે.આ સાથે રામકૃષ્ણ મિશનની સ્થાપના તેમ જ તેની પ્રવૃતિઓની ઝલક આપી હતી.ઊઠો,જાગો અને લક્ષ્ય હાંસલ ન થાય ત્યાંસુધી મંડ્યા રહો આ તેમનો સંદેશ આજે પણ અકબંધ અને યાદગાર રહી સૌને પ્રેરણા આપતો રહે છે.

કાર્યક્રમના આરંભમાં સ્વામી આત્મશ્રધ્ધાનંદજીનું કેઇએસ પ્રેસિડન્ટ મહેશ શાહે અભિવાદન કર્યા બાદ પોતાના પ્રાસંગિક વકતવ્યમાં કહ્યું હતું કે દરેક જણ પાસે મોબાઇલ હોય છે તેમ દરેકનું માઈન્ડ પણ મોબાઈલ સમાન હોય છે,જે સ્થિર રહેતું નથી. સ્વામીજીનું શિક્ષણ આ માઈન્ડને સ્થિર કરવાની દિશામાં પથદર્શક બને એવું છે. મહેશ શાહે કહ્યું હતું કે આપણી પાસે અહી ઈન્ફ્રાસ્ટ્રકચર છે, આપણે ઈન્ટ્રાસ્ટ્રકચર પર ધ્યાન આપવું જોઈએ,જેને આપણી ભીતરનું જગત કે આંતરમાળખું કહીએ.જો માણસે પોતે સુખી થવું હશે તો તેણે પોતાની ભીતર ઉતરવું પડશે.

કેઇએસ શ્રોફ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.લિલિ ભુષણે મેનેજમેન્ટની આ પહેલને અને દિર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી.એ પહેલાં પ્રોફેસર સમ્રાટ શ્રીવાસ્તવે આઈકેએસના ઉદ્દેશ અને વિષયો વિશે વાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જાહ્નવી જોષીએ રસપ્રદ અને ઉચ્ચત્તમ શબ્દોમાં કર્યુ હતું. આ પ્રસંગે કેઇએસના વાઇસ પ્રેસિડન્ટ મહેશ ચંદારાણા, ટ્રેઝરર ઉદય શાહ, એકેડેમિક એડવાઈઝર અને ટીપી ભટિઆ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંગીતા શ્રીવાસ્તવ અને અન્ય ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા.
The post મુંબઈમાં કેઈએસ દ્રારા સેન્ટર ફોર સ્વામી વિવેકાનંદ સ્ટડીઝનો આરંભ appeared first on chitralekha.
]]>The post ભારતનો લાડકવાયો દીનદયાલ: માનવતાવાદના સમર્થકની કથા દર્શાવતું નાટક appeared first on chitralekha.
]]>
‘ભારતનો લાડકવાયો દીનદયાલ’નાટકમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનના વિવિધ પાસાઓ અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સશક્ત વિચારો અને સમર્પણની ઝાંખી થાય છે. આ નાટકનું નિર્દેશન પ્રિતેશ સોઢા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નાટકના લેખક પ્રયાગ દવે છે. એકાત્મ માનવવાદ, હિન્દુત્વની ઓળખ, રાજનીતિમાં આધ્યાત્મિકતા, ધર્મની સમજણ અને રાષ્ટ્રની ઉન્નતી વગર વ્યક્તિની ઉન્નતી કેવી રીતે શક્ય નથી તે અંગે નાટકમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.

રાજકારણ, માનવતા અને આધ્યાત્મિકતા જેવા ત્રણેય પાસાઓને આવરી લેતાં આ નાટકના નિર્માતા જશ વીરા છે. ન માત્ર નાટકપ્રેમીઓ કે કલા રસિકો પરંતુ રાષ્ટ્રભાવના ધરાવતાં દરેક માટે આ નાટકને માણવું અને દિનદયાળના જીવનના વિવિધ તબક્કાઓ વિશે જાણવું એ રસપ્રદ બની શકે છે.

લેખક પ્રયાગ દવેએ અઢળક પુસ્તકોમાંથી સંશોધન કરીને મહત્વની અને જરૂરી માહિતીને સ્ક્રિપ્ટમાં આવરી છે.

નાટકના કલાકારોની વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં અભિનેતા પરેશ ભટ્ટે દિનદયાળમાં પાત્રમાં જીવ રેડી દીધો છે. આ સાથે જ તમામ સહકલાકારોની મહેનત પણ સ્ટેજ પર દેખાઈ આવે એવી છે.અત્યાર સુધી મુંબઈમાં આ નાટકના કેટલાક શૉ થઈ ચૂક્યા છે. આગામી સમયમાં ‘ભારતનો લાડકવાયો દીનદયાલ’ના નાટકોનું મુંબઈ અને અન્ય શહેરોમાં મંચન થઈ શકે છે. આ નાટક ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં મંચિત કરવામાં આવી રહ્યું છે.
The post ભારતનો લાડકવાયો દીનદયાલ: માનવતાવાદના સમર્થકની કથા દર્શાવતું નાટક appeared first on chitralekha.
]]>